Ahmedabad: સરખેજના અંડરપાસમાં ભરાયેલા પાણીએ યુવકનો લીધો જીવ, ત્રણ લોકો અંદરથી થઈ રહ્યા હતા પસાર

|

Sep 27, 2021 | 4:25 PM

અમદાવાદના સરખેજમાં આવેલા વણઝારવાસ અંડરપાસમાં પાણી ભરાયા હતા. તેમાં ત્રણ યુવાન ગયા હતા પરંતુ દુર્ભાગ્યે એક યુવકનું ડુબવાથી મોત નિપજ્યું છે.

અમદાવાદમાં (Ahmedabad) ધોધમાર વરસાદને (Heavy Rain) કારણે દુખદ ઘટના બની છે. ધોધમાર વરસાદ ખાબકતા સરખેજના (Sarkhej) વણઝારવાસ અંડરપાસમાં (Underpass) પાણી ભરાયા. જેમાં ડૂબતા એક યુવકનું મોત નિપજ્યું. વણઝારવાસના અંડરપાસમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયેલા હતા. આ અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચે ત્રણ લોકો પસાર થયા. માહિતી અનુસાર સ્થાનિકોએ રોક્યા પરંતુ ત્રણ વ્યક્તિઓ અંડરપાસમાં ઉતર્યા. જે પૈકીના બે લોકો બહાર નિકળી ગયા. પરંતુ એક યુવકને તરતા ન આવડતું હોવાથી અંડરપાસના પાણીમાં ડૂબ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરી હતી. બાદમાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો ફાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ 15થી 20 મિનિટ બાદ યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો. જો કે પાણીમાં ડૂબતા યુવકનું મોત થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે પાણી અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદના એસજી હાઇવે પર મુશળઘાર વરસાદ પડતાં સમગ્ર રોડ પર પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરના નરોડા, સરદારનગર, બાપુનગર, ઓઢવ, નવરંગપૂરા, નારણપૂરા, મેમનગર, ડ્રાઈવ ઇન, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો. જેમાં સરખેજના વણઝારવાસ અંડરપાસમાં બનેલી ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : વિધાનસભામાં વિપક્ષનો વોકઆઉટ, કોરોના મૃતકોને શોકાંજલિનો વિપક્ષનો પ્રસ્તાવ

આ પણ વાંચો: SURAT : ST નિગમના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે નારાજ, કર્મચારીઓની હડકાળ પર જવાની ચીમકી

Next Video