શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ

|

Jun 15, 2021 | 1:32 PM

કહેવામાં આવી રહ્યું છે કે તારક મહેતા શોને પણ ફિલ્મના સ્વરૂપમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. જી હા તમને જણાવી દઈએ કે તારક મહેતાના મેકર્સ આ વાતને લઈને મોટું પ્લાનિંગ કરવાના મૂડમાં છે.

શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ
તારક મહેતા સિરિયલ પર ફિલ્મ!

Follow us on

ભારતમાં ટીવી સિરિયલ અને તેના પરથી ફિલ્મ બનાવી તે વાત હવે નવી નથી. તમે જાણતા હશો કે ફેમસ કોમેડી સિરિયલ ખીચડી પરથી ફિલ્મ બની છે. આ ઉપરાંત “ઓફિસ-ઓફિસ” તેમજ વ્યોમકેશ બક્ષી જેવી ટીવી સિરિયલ પરથી પણ સુપર હીટ ફિલ્મો બની છે. પરંતુ હવે વાત થઇ રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની. જી હા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરતો આ શો ઓકટોબરમાં 13 વર્ષ પૂર્ણ કરશે. આ શો હંમેશા TRP ની ટોપ લીસ્ટમાં હોય જ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ શોને પણ ફિલ્મના સ્વરૂપમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. જી હા તમને જણાવી દઈએ કે તારક મહેતાના મેકર્સ આ વાતને લઈને મોટું પ્લાનિંગ કરી રહ્યા છે. તમને પણ આ વાત જાણીને આશ્ચર્ય સાથે ખુશી પણ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટ્વીટર પર એક યુઝરે કરી રિક્વેસ્ટ

વાત જાણે એમ છે કે ટ્વીટર પર એક યુઝરે શોના પ્રોડ્યુસર અસિત મોદીને ટેગ કરીને તારક મહેતા શો પર ફિલ્મ બનાવવાની રિક્વેસ્ટ કરી. તેણે લખ્યું કે “પ્લિઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર એક ફિલ્મ બનાવો. આ વિશ્વનો સર્વોત્તમ શો છે. પ્લિઝ એક મૂવી બનાવીને ઇતિહાસ રચો.” અસિત કુમાર મોદીએ આ પ્રશંસકની ટ્વીટનો જવાબ પણ આપ્યો.

અસિત મોદીએ આપ્યો જવાબ

જોકે અસીતે આ ટ્વીટના જવાબમાં માત્ર એક શબ્દ લખ્યો છે. તેમણે લખ્યું “હા”. નિર્માતાના આ જવાબ પર ફેન્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. ચાહકોની આ પ્રતિક્રિયા જોઇને લાગે છે કે તેઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત છે અને હવે આતુરતાથી ફિલ્મના આગમનની રાહ જોશે.

અસિત મોદીના આ નાનકડા જવાબમાં પણ મોટું પ્લાનિંગ હોવાની સંભાવના છે. તેમની આ હા પરથી લાગી રહ્યું છે કે તેઓ પણ આ વિશે વિચાર કરી રહ્યા છે. અને અગામી દિવસોમાં આ બાબતને લઈને વાત સાફ થઇ શકે છે.

 

આ પણ વાંચો: Big News: અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘બેલબોટમ’ આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

આ પણ વાંચો: કોરોના રહ્યો નિયંત્રણમાં, તો PM મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર! જાણો વિગત

Next Article