શા માટે વિજય માલ્યાએ દેશની સૌથી મોટી એર કંપની બચાવવા માટે બેંકોને કરી અપીલ, ‘મારી સંપત્તિ લઈ લો પણ આ કંપનીને બચાવી લો’

|

Mar 26, 2019 | 7:02 AM

ભલે દેશના કરોડોનું દેવું કરી ફરાર થઈ ગયા હોય પણ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને અપીલ કરી છે કે, બેંકો તેના પૈસા લઈને પણ નાણાંની કટોકટીનો સામનો કરી રહેલા જેટ એરવેઝને બચાવી લેવું જોઇએ. માલ્યાએ એક પછી એક ટ્વિટ કરીને જેટ એરવેઝને બચાવવાની અપીલ કરી છે. પોતાના ટ્વિટમાં વિજય માલ્યએ કહ્યું કે, આ જાણીને આનંદ […]

શા માટે વિજય માલ્યાએ દેશની સૌથી મોટી એર કંપની બચાવવા માટે બેંકોને કરી અપીલ, મારી સંપત્તિ લઈ લો પણ આ કંપનીને બચાવી લો

Follow us on

ભલે દેશના કરોડોનું દેવું કરી ફરાર થઈ ગયા હોય પણ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને અપીલ કરી છે કે, બેંકો તેના પૈસા લઈને પણ નાણાંની કટોકટીનો સામનો કરી રહેલા જેટ એરવેઝને બચાવી લેવું જોઇએ. માલ્યાએ એક પછી એક ટ્વિટ કરીને જેટ એરવેઝને બચાવવાની અપીલ કરી છે.

પોતાના ટ્વિટમાં વિજય માલ્યએ કહ્યું કે, આ જાણીને આનંદ થયો કે પીએસયૂ બેંકોએ જેટ એરવેઝને નોકરી, કનેક્ટિવિટી અને બિઝનેસને બચાવવા માટે જામીન આપ્યા છે. કાશ આવું કિંગફિશર માટે પણ કરવામાં આવ્યું હોત. હાલ જેટ એરવેઝ પર 28 બેંકોનું કરજ છે. આ બેંકોમાં અમુક ખાનગી અને વિદેશી બેંકો પણ સામેલ છે. જેમાં દેશની જાહેર ક્ષેત્રની બેંકોના પણ પૈસા જોડાયેલા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેટ એરલાઇન્સ પર આશરે આઠ હજાર કરોડનું કરજ છે. જેટના પાયલટ્સ પહેલા જ અલ્ટિમેટમ આપી ચુક્યા છે કે જો 31મી માર્ચ સુધી તેમની બાકી રકમ નહીં ચુકવવામાં આવે તો એકપણ ફ્લાઇટ ઉડશે નહીં. આ સાથે જ માલ્યાએ ભાજપ પર હુમલો કરતાં લખ્યું કે, ભાજપના પ્રવક્તાએ પીએમ મનમોહન સિંઘને મારા પત્રો વાંચીને સંભળાવ્યા અને આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારના કહેવાથી પીએસયૂ બેંકોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે સમર્થન કર્યું.

આ પણ વાંચો : Braking NEWS : કોંગ્રેસે લીધો NYAY યોજના પર યુ-ટર્ન, માત્ર ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે રૂ. 72 હજાર

માલ્યાએ વધુમાં લખ્યું કે, મીડિયાએ મને વર્તમાન વડાપ્રધાન વિશે લખવા માટે ઉશ્કેર્યો હતો. હું પરેશાન છું કે એનડીએ સરકાર હેઠળ હવે કેવા પરિવર્તન આવી ગયા છે. મેં કિંગફિશર એરલાઇન્સને અને તેના કર્મચારીઓને બચાવવા માટે રૂ. 4000 કરોડથી વધારે રોકાણ કર્યું હતું, જેને ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. આજ પીએસયૂ બેંકો ભારતની શ્રેષ્ટ કર્મચારીઓ અને કનેક્ટિવિટી વાળી ઉત્તમ એરલાઇનને નિષ્ફળ કરી દે છે. એનડીએ સરકારના બેવડા માપદંડ છે.

જેટ એરવેઝની મુશ્કેલીઓને જોતાં કેન્દ્ર સરકારની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોની રોજગારીમાં સવાલ ઊભા થઇ રહ્યા છે. જેને જોતાં કેન્દ્ર સરકાર અને હવે ઉદ્યોગપતિએ સવાલ કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article