લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર મધ્યવર્ગના લોકોને વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌ પ્રથમ આવક મર્યાદામાં રાહત આપ્યા પછી 21 ફેબ્રુઆરીના સરકાર મોટી ભેટ આપી શકે છે. જેનો લાભ પણ દેશના કરોડો લોકોને મળશે.
મોદી સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ એટલે કે EPFOના 2018-19 માટે પ્રોવિડેન્ટ ફન્ડ (PF)ના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. એક અહેવાલ અનુસાર 21 ફેબ્રુઆરીના યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીટીની બેઠકમાં PF પર વ્યાજના દરને જેમને તેમ રાખવા અને વધારો કરવા પર નિર્ણય કરી શકે છે.
હાલમાં EPFOનો વ્યાજ દર 2017-18 માં 8.55 ટકા છે. જે પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. 2016-17માં 8.65 ટકા તો 2013 થી 2015માં 8.75 ટકા હતો. જેના પર હવે તમામ વર્ગના કર્મચારીઓને લાભ મળી શકે છે. હવે 21 ફેબ્રુઆરીના સીબીટી બેઠકમાં લેબર મિનિસ્ટર નિર્ણય લઈ શકે છે, જેમને બેઠક પહેલાં PF બોડી દ્વારા વ્યાજના દર વધારવા માટેની ભલામણ કરવામાં આવી છે.
[yop_poll id=1372]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]