આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ

આપણા ધાર્મિક કાર્યનો વૈજ્ઞાનિક આધાર પણ છે. આપણે ઘરમાં તુલસીનો ક્યારો રાખતા હોઈએ છીએ. નિત્ય તેને જળ ર્પણ કરીએ છીએ તો સાથે પીપળાનું પૂજન પણ આપણે કરીએ છીએ.

આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ
Pipala Pujan (symbolic image)
| Edited By: | Updated on: Jan 09, 2023 | 3:39 PM

સનાતન સંસ્કૃતિમાં આપણી કેટલીયે આદત એવી છે કે જે આજે આપણી પરંપરા (PARAMPARA) કે રિવાજ બની ગઈ છે. કેટલાય કાર્યો કે જે આપણે પેઢીઓથી કરતાં આવીએ છીએ. જેમકે કોઈને નમસ્કાર કરવા, તિલક કરવું, સ્ત્રીઓનું સિંદૂર લગાવવું, ભૂદેવો કે અન્ય ઋષિઓનું ચોટલી રાખવું, સવારે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવું, કેટલાક ચોક્કસ ઉપવાસ કરવા, વડીલોને ચરણ સ્પર્શ કરવું વગેરે. આ તમામ એવી બાબતો છે કે જે આપણે સહજ જ કરી લેતાં હોઈએ છીએ અથવા તો કોઈ કરે છે તો તેને સહજ જ સ્વીકારી લેતાં હોઈએ છીએ પણ તેની પાછળ રહેલા રહસ્યને કે પછી વૈજ્ઞાનિક કારણોને જાણતા નથી.

ત્યારે આજે આવી જ એક પરંપરા કે પછી આપણી આદતની વાત કરવી છે. આપણે ઘરમાં તુલસીનો ક્યારો રાખતા હોઈએ છીએ. નિત્ય તેને જળ અર્પણ કરતાં હોઈએ છીએ. છોડ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. સાથે જ પીપળાના પૂજનનો પણ વિશેષ મહિમા છે. લોકો ધાર્મિક ફાયદા પણ તેના ગણાવતા હોય છે. ત્યારે આજે વાત આ બંન્ને છોડના પૂજન પાછળ રહેલા વૈજ્ઞાનિક તર્કની કરવી છે.

કેમ કરવી જોઈએ તુલસીની પૂજા?

આપણે માનીએ છીએ કે તુલસીના છોડના પૂજનથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે. એટલે લોકો ઘરમાં તુલસીનો છોડ રાખવાનું પસંદ કરતાં હોય છે.

વૈજ્ઞાનિક તર્ક:

તુલસી વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. એટલે જો ઘરમાં તુલસીનો છોડ ઘરમાં હોય તો અનેક આયુર્વેદિક ઉપચારમાં  તેનો ઉપયોગ થઈ શકે અને ઘરમાંથી તે બીમારીઓને દૂર કરે છે.

કેમ પીપળો છે ફાયદાકારક?

લોકો પીપળાનું પૂજન કરે છે. માન્યતા છે કે પીપળાના પૂજનથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે. પીપળામાં તો સ્વયં શ્રીકૃષ્ણનો વાસ છે. ત્યારે લોકો પીપળાનું પૂજન ખૂબ ભાવથી કરતા હોય છે.

વૈજ્ઞાનિક તર્ક:

પીપળાના પૂજનના અનેક ફાયદા આપણા ધાર્મિક ગ્રંથોમાં છે. પણ શું તમે જાણો છો કે એક પીપળો જ એવું ઝાડ છે કે જે રાત્રે પણ ઓક્સિજન પ્રવાહિત કરે છે.  આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પીપળો ખૂબ લાભદાયક છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પૂજા સમયે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

આ પણ વાંચો : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો

Published On - 6:20 am, Fri, 28 January 22