ગીર સોમનાથ: સરપંચના ઘરમા જઈ ગાયનું મારણ કરનાર દીપડાને પકડી લેવાયો, દોઢ કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો

|

Feb 04, 2024 | 11:18 PM

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં અવારનવાર વન્ય જીવો માનવ વસાહતો સુધી આવી જતા હોવાથી લોકોમાં ભયનું મોજુ ફરી વળે છે. ગીર સોમનાથમાં બે ગામોમાં દીપડાની કનડગત સામે આવી છે. જેમા વેરાવળમાં એક બાળકને ફાડી માનવભક્ષી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યા ફરી તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરમાં દીપડો આવી ચડ્ય અને ગાયનું મારણ કરતા ગામલોકોમાં ભય ફેલાયો છે.

સૌરાષ્ટ્રમાં દીપડાની દહેશત દિવસેને દિવસે વધી રહી છે. જે જંગલ વિસ્તાર નથી, ત્યાં પણ દીપડા ફરી રહ્યા છે. ગીર સોમનાથના બે સ્થળોએ દીપડો જોવા મળ્યો.. જ્યાં વેરાવળમાં બાળકે ફાડી ખાનારો દીપડો પાંજરે પુરાયો. તો બીજી તરફ ઘરમાં ઘુસીને મારણ કરનારા દીપડાને પણ પકડી લેવાયો. બે દીપડા તો પકડાયા. પરંતુ દહેશત યથાવત્ છે. લોકો ઘરમાંથી નીકળતા ડરે છે. કારણ કે, હવે તો દીપડો છેક ઘરમાં આવતો થઈ ગયો છે.

સરપંચના ઘરમાં ઘુસી દીપડાએ ગાયનું કર્યુ મારણ

ગીર સોમનાથના તાલાલામાં લોકો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે ખબર પડી કે, દીપડાએ ઘરમાં ઘુસીને મારણ કર્યું છે. રામપરા ગામના સરપંચના ઘરે જ દીપડો પહોંચી ગયો હતો. દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું. જે બાદ મકાનમાં ઘુસી ગયો. જો કે, સારી વાત એ હતી કે, મકાન બંધ હતું. જેથી કોઈ વ્યક્તિ પર હુમલો થયો નહીં. જે બાદ વન વિભાગની ટીમ આવી. રામપરા ગામમાં દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું.. જો કે, દીપડો સરળતાથી હાથ આવતો ન હતો. આખરે દોઢ કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.

આ પણ વાંચો: ભડકાઉ ભાષણ આપવા મામલે ATSએ કરી મુફતી સલમાન અઝહરીની ધરપકડ, જુનાગઢમાં સભા દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video