બનાસકાંઠામાં ભાજપના ડો રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. આ દરમિયાન બનાસકાંઠાના ઠાકોર સમાજના કેટલાક અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. જેમાં લેબજી ઠાકોર અને ભરતજી ખૂંધનો પણ સમાવેશ થાય છે. બંને ઠાકોર આગેવાનો હવે ફરીથી ભાજપનો કેસરીયો ધારણ કરતા જ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે.
ચૂંટણી પ્રચારની શમશેરપુરામાં યોજાયેલી જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે તીખા તેવર દર્શાવતી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, જે ભાજપમાં ગયા એ હારેલા હતા. તેઓ ત્યાં જઇને શું જીતાડી દેશે. તો વળી અન્ય મહિલા આગેવાને કહ્યુ હતુ કે, આજે અમારે જરુર છે ત્યારે એ સામે પક્ષે જઇને બેઠા છે. સામે પક્ષેથી જ જેને સડેલી કેરી કહેતું હતુ તે આજે હાફુસ બની ગઈ છે.