Navsari: જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા

|

May 24, 2022 | 7:50 PM

Navsari: જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. ધોલાઇ બંદર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Navsari: જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટા (Rainstorm) પડ્યા હતા. ધોલાઇ બંદર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહત્વનું છે કે, ગણદેવી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાની લહેર ફરી વળી છે.

અસહ્ય બફારા બાદ રાજકોટમાં વરસાદી ઝાપટું

શહેરમાં ભારે ઉકળાટ બાદ આજે વરસાદ પડ્યો. આજે શહેરના ગોંડલ રોડ,ત્રિકોણ બાગ,ઢેબર રોડ,રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાંપટાને કારણે થોડા સમય માટે તો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી એક્ટિવ હોવાની આગાહી કરી હતી અને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી, જેના ભાગરૂપે આજે રાજકોટમાં ભારે ઉકળાટ બાદ સાંજના પાંચ વાગ્યે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. એક તરફ તાઉતે વાવાઝોડાને કારણે કેરીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, ત્યારે આ વખતે વહેલો વરસાદ થવાને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભિતી સેેવાઈ રહી છે. આ ઉપરાંત તલ,મગ સહિતના ઉનાળું પાકને પણ વરસાદી પાણીને કારણે નુકસાન થવાની ભિતી થઈ છે.

Next Video