અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા, જુઓ Video

|

Aug 15, 2024 | 3:16 PM

અદાણી પોર્ટ મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા.નિયમો વિરુદ્ધ અદાણી માટે પોર્ટની સમયમર્યાદા વધાર્યાનો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને ગુજરાત સરકારે નકાર્યા છે.

અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા છે. અદાણી મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા.નિયમો વિરુદ્ધ અદાણી માટે પોર્ટની સમયમર્યાદા વધાર્યાનો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારે કોંગ્રેસના તમામ આરોપને નકાર્યા છે. નિયમો તમામ પોર્ટ સંચાલકો માટે એકસમાન હોવાનું સરકારે જણાવ્યું છે. અધિનિય મુજબ 50 વર્ષનો કોઈ મહત્તમ સમયગાળો ન હોવાની સ્પષ્ટતા કરી છે. દેશના અન્ય રાજ્યોમાં 30 થી 99 વર્ષ સુધી પોર્ટ કન્સેશનનો લાભ મળે છે.

પોર્ટ ઓપરેટર્સને છૂટ આપવા માટે મહત્તમ 50 વર્ષનો કોઈ નિયમ નથી. BOOTની નીતિ 1997ના આધારે GMB કામ કરી રહી છે. GMB દ્વારા પોર્ટ ઓપરેટર્સ સાથે પ્રારંભિક 30 વર્ષ માટે કરાર કર્યો છે. બંદરોના વિકાસ માટે કરારની સમય મર્યાદા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. પીપાવાવ, મુન્દ્રા, હજીરા, દહેજ, છારા, જાફરાબાદ બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2015 અને 2021માં APSEZ મુન્દ્રા તરફથી સમય મર્યાદા વધારવા વિનંતી કરવામાં આવી છે.

2011 થી 2021 વચ્ચે APM ટર્મિનલ્સ પીપાવાવ તરફથી સમય મર્યાદા વધારવા વિનંતી કરાઈ છે. APM ટર્મિનલ સાથેનો પ્રથમ કન્સેશન કરાર 2028માં પૂર્ણ થશે. માલવાહક જહાજોની અવરજવરમાં ભાવિ વિક્ષેપ ટાળવા નિર્ણય લેવો જરૂરી બન્યો. ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં 30-99 વર્ષ સુધી પોર્ટ કન્સેશનનો સમયગાળો આપવામાં આવે છે. પોર્ટ ડેવલપર્સની વિનંતી પર જ સૂચિત નીતિ પર વિચાર-વિમર્શ કરાયો છે. જેના પગલે તમામ પોર્ટ ઓપરેટરને એક સમાન રૂપે લાભ મળી શકે.

Next Video