Monsoon 2022: રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં 56.54 ટકા જળસંગ્રહ: નર્મદા ડેમમાં પાણીની સપાટી 121.71 મીટરે પહોંચી

|

Jul 20, 2022 | 1:08 PM

રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ અને 43 જળાશયો 70 ટકાથી 100 ટકા જેટલાં ભરાયાં

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા. 20 જુલાઈ-2022 સુધીમાં 56054 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 184619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 319839 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત) માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકા થી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમની જળસપાટીમાં એક દિવસમાં દોઢ મીટરનો વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવક 1,08,932 ક્યુસેક થઇ છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 121.71 મીટરે પહોંચી છે. પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. પાવરહાઉસ ચાલુ કરતા નર્મદા નદીમાં 19,858 ક્યુસેક પાણી છોડાયું છે. સરદાર સરોવરમાં પાણીનો કુલ જથ્થો 1527.80 મિલીયન ક્યુબીક મીટર થયો છે. હાલ દર કલાકે જળ સપાટી પાંચ સેન્ટિમીટર વધી રહી છે.

Next Video