અમદાવાદમાં આગામી સમયમાં યોજાનાર રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસની કવાયત હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યુ. રથયાત્રા પહેલા અને રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં પ્રવેશે નહીં તે માટે પોલીસ સતર્ક થઈ છે. વિદેશી નાગરિકો રોકાણ કરે ત્યારે C ફોર્મ ભરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા હોટલ માલિકોને રથયાત્રાને લઈ સૂચના આપી એલર્ટ કરવામાં આવ્યા છે. અને માલિકોને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તે જરૂરી છે. અમદાવાદના શહેરમાં નિકડનારી રથયાત્રા પોલીસ માટે ખાસ કરીને સૌથી મોટો પડકાર હોય છે.
આ યાત્રા દરમ્યાન ઘટના ન બને તે માટે અગાઉ થી પોલીસ દ્વારા તૈયારી સાથે તમામ એજન્સીને એલર્ટ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.