જો ક્યારેય મોટું સૌર વાવાઝોડું પૃથ્વીથી ટકરાશે તો લોકો પાસે તેનાથી બચવા માટે ફક્ત 30 મિનિટનો સમય હશે. અમેરિકન સ્પેસ એજન્સી NASAના એક સંશોધકે આ વાત કહી છે. NASAની ટીમ સૌર ડેટા પર AI મોડલ્સ લાગુ કરીને અર્લી વોર્નિગ સિસ્ટમ વિકસાવવા માટે કામ રહી છે. આ સાથે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે સૌર તોફાન પૃથ્વી પર ક્યારે પહોંચી શકે છે.
વૈજ્ઞાનિકોએ DAGGER નામના ડીપ લર્નિંગ મોડની તાલીમ પણ શરૂ કરી છે, જેથી આ અંગે વધુ માહિતી મેળવી શકાય. ACE, WING, IMP-8 અને Geotail સહિતના ઘણા સેટેલાઈટ સૌર ઉત્સર્જનનું નિરીક્ષણ કરી રહ્યા છે અને NASA ટીમને ડેટા મોકલી રહ્યા છે. સૌર વાવાઝોડાથી વીજળીના ગ્રીડને અસર થઈ શકે છે. સૌર વાવાઝોડાને ટાળવા માટે જ્યારે સૌર વાવાઝોડું આવવાની માહિતી મળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રીડ બંધ કરી દેવી જોઈએ.
તેને જીઓમેગ્નેટિક સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. આ સૂર્યમાંથી નીકળતા રેડિયેશન છે, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. આ અસરને કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ બચતું નથી. તેથી જ તેને આપત્તિ કહેવામાં આવે છે. તે પૃથ્વીની આસપાસના વાતાવરણની ઊર્જાને પણ અસર કરે છે. જો કે પહેલા પણ સૌર તોફાન આવી ચૂક્યા છે. 1989માં કેનેડાના ક્વિબેક શહેરમાં આવ્યું હતું. જેના કારણે અહીં 12 કલાક સુધી વીજળી ગુલ થઈ હતી.