ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પોરબંદરમાં ભારે વરસાદના પગલે દરિયામાં મોજા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ, પવન અને દરિયામાં ઊંચા મોજા ઊછળવાના પગલે પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.