અમરેલીમાં સિઝનનો ઓછો વરસાદ થતા ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડેમોમાં પાણી છોડવા કરી માગ-Video

|

Aug 13, 2024 | 11:28 AM

અમરેલીમાં ઓછો વરસાદ થયો હોવાથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યુ છે. આવનારા સમયમાં પાણીની અછત ન સર્જાય તેને ધ્યાને રાખી ધારાસભ્યએ જળસંપત્તિ અને પુરવઠામંત્રીને પત્ર લખી ડેમોમાં પાણી છોડવાની માગ કરી છે.

સૌરાષ્ટ્રના ડેમ ભરવા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પત્ર લખ્યો હોવાનું સામે આવ્યુ છે. ધારાસભ્ય મહેશ કસવાલાએ જળસંપત્તિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થવાથી સૌની યોજના હેઠળ ડેમ ભરવા માગ કરવામાં આવી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે તેનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડાય તેવી માગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ડેમ ભરાતા પાણીના તળ ઉંચા આવશે જેથી ખેડૂતોને લાભ થશે.ધારાસભ્ય મહેશ કસવાલાના પત્રમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને અમરેલીમાં ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે અમરેલીમાં સીઝનનો 63 ટકા વરસાદ વરસ્યો છે. જેથી આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે.

Published On - 10:38 am, Tue, 13 August 24

Next Video