ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાઈસ ચાન્સલર ગિરજા ગુપ્તાએ કહ્યુ છે કે, માત્ર નમાઝનો મુદ્દો નહોતો. જે ઘર્ષણ થયુ, જે હિંસા થઇ એમા માત્ર નમાઝના કારણે જ એમ થયુ એવુ નથી. ડો. નિરજા ગુપ્તાએ કહ્યુ હતુ કે, એક દિવસની કે એક સમયની નમાઝ આધાર બની શકે નહીં. રાજ્યના ખાનપાનને લઈ વિદેશી વિદ્યાર્થીઓ સજાગ કરવા જરુરી છે. માંસને ખુલ્લામાં છોડી દેવું એ પણ ગંભીર ભૂલ છે.
ગુજરાત એ શાકાહારી ખાનપાન ધરાવતો વિસ્તાર છે. રાજ્યના ખાનપાનને લઈ વિદેશી વિદ્યાર્થીઓને સજાગ કરવા જરુરી છે. ખુલ્લામાં માંસ છોડી દેવાને લઈ શ્વાન આવી ચડે છે. સાંસ્કૃતિક ભેદ હોઇ શકે છે, ઓરીએન્ટેશન કરી શકીએ અને સૂચના આપી શકીએ છીએ.