કેન્દ્રીય શ્રમ પ્રધાન અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા મતવિસ્તારમાં ભારે વરસાદને લઈ મુલાકાતે પહોંચ્યાં છે. પ્રધાન માંડવિયાએ પોરબંદર પહોંચીને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારે વરસાદને લઈ જે વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો છે, જેને લઈ શું એક્શન હાલમાં લેવાઈ રહ્યા છે. સ્થાનિકોને રાહત ઝડપથી પહોંચે એ માટે થઈને ત્વરીત પગલા ભરવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને સૂચનાઓ કરી હતી. સાથે જ બેઠકમાં તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મતવિસ્તારમાં અવિરત વરસાદને લઈ અસરગ્રસ્તોની સાથે પણ મુલાકાત કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:15 pm, Sat, 20 July 24