રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ ધોધનો અદભૂત Video

|

Oct 18, 2024 | 9:53 AM

ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોય શકે નહિ. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમા પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભ્યારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે.

ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોય શકે નહિ. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમા પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભ્યારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે.

દાહોદના રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલ ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી પ્રતિબંધ મુકવામાં આવેલ ધોધને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ભારે વરસાદના લીધે ધોધ પર અવર-જવર કરવાનો સરકારે પ્રતિબંધ મુક્યો હતો. રતનમહાલનો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર છે.

રીંછ અભ્યારણમાં આવેલ આ ધોધને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વન વિભાગે અહીં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ માટે ટેન્ટ હાઉસની પણ સુવિદ્યા ઉપલબ્ધ કરી છે.

 

Next Video