Ahmedabad: વી.એસ. હોસ્પિટલની બિલ્ડીંગ હવે નહીં તોડાય

|

Sep 19, 2022 | 11:34 PM

આ અંગે દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં  (Gujarat Highcourt) પડકારાયુ હતું. બિસ્માર બનેલી ઈમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવી જરૂરી છે તેમ મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્પોરેશનની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

અમદાવાદની (Ahmedabad) વી.એસ. હોસ્પિટલની (V S Hospital) બિલ્ડીંગ નહીં તોડવામાં આવે. આ  હોસ્પિટલમાં 500 બેડ છે અને 500 બેડવાળી હોસ્પિટલની બિલ્ડીંગ નહીં તોડાય. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડિકલ સારવાર યથાવત રહેશે. હોસ્પિટલની બિસ્માર બનેલી ઈમારતો જ તોડાશે. આ અંગે દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) પડકારાયુ હતું. બિસ્માર બનેલી ઈમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવી જરૂરી છે તેમ મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્પોરેશનની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

નોંધનીય છે કે અઠવાડિયા અગાઉ અમદાવાદ વી.એસ.હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. હોસ્પિટલ બિલ્ડિંગ તોડવાના ટેન્ડરને લઈને હાઈકોર્ટ (High Court) અમદાવાદ મનપાને આકરા સવાલ કર્યા છે. હાઈકોર્ટે હયાત બિલ્ડિંગને તોડવાનું કારણ અને તોડ્યા બાદ શું કામગીરી કરશો એ જણાવવા કહ્યું છે. આ સાથે એક અઠવાડિયા સુધી કોઈ ડિમોલિશન ન કરવાની ખાતરી આપવા અંગે પણ પૂછ્યુ છે.

સામા પક્ષે અમદાવાદ મનપાના વકીલે બિલ્ડિંગ જૂની અને બિસ્માર હોવાથી તોડવી જરૂરી હોવાનું જણાવ્યુ હતુ અને બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે સૂચના ન હોવાનું જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ વીએસ હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

Next Video