Monsoon 2022: રાજ્યના 27 જળાશયો 100 ટકાથી વધુ અને 41 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા, કુલ 206 ડેમમાં સરેરાશ 50 ટકાથી વધુ પાણી

|

Jul 16, 2022 | 12:42 PM

29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૫૦.૬૩ ટકા જળસંગ્રહ

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદ (Rain) ને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓ (reservoir) માં તા. 16 જુલાઈ-2022 સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ (water storage) થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 169139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 302397 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં 27 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમં આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ સાર્વત્રિક ભારે વરસાદ પડવાને કારણે મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં જેના કારણે જળાશયોમં મોટા પ્રમાણમાં પાણી આવાક થઈ છે. નદીઓ હજુ પણ નોંધપાત્ર વહેણ સાથે વહી રહી છે તેથી હજુ જળાશયોના પાણીની સપાટી વધશે. ચોમાસાનો મોટા ભાગનો સમયગાળો હજુ બાકી છે તેથી આ વર્ષે પણ રાજ્યમાં જળાશયોમાં પાણીની સપાટી રેકોર્ડ સ્તરે પહોચે તેવી શક્યતા છે.

Next Video