Breaking Video : કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી શાંતિ ડહોળવાનું કરે છે કામ, અમિત શાહનું વાંસદામાં નિવેદન

|

May 04, 2024 | 2:57 PM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે થયા છે. જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ઘેરી છે.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે થયા છે. છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા.જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ઘેરી છે.

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી – અમિત શાહ

આ ઉપરાંત જણાવ્યુ કે ST અને OBCના ભાગની અનામત મુસ્લિમોને આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને OBCમાંથી ભાગ આપ્યો છે. રામ મંદિરના મુદે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અમિત શાહે જણાવ્યુ કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા. ભાજપ જે કહે છે તે કરી બતાવે છે.ભાજપે નકસલવાદને પણ ખતમ કર્યો છે. જ્યારે ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી.

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિત શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:54 pm, Sat, 4 May 24

Next Video