ભરૂચ : સમુદ્રમાંથી મળી આવેલા શિવલિંગની મંદિર બનાવી સ્થાપના કરાશે, આસ્થાના પ્રતીકને સમુદ્ર કિનારે પરત લઈ જવાયું, જુઓ વીડિયો

|

Feb 14, 2024 | 11:39 AM

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે.

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. શિવલિંગને વાજતેગાજતે કવિના સમુદ્ર કિનારે લઇ જવાયું હતું.

નોંધનીય છે કે સમુદ્રમાંથી અઢી ફૂટ ઉંચાઇ તથા 100 કિલોથી વધુ વજન ધરાવતાં શિવલિંગને બહાર લાવી કાવીના કમલેશ્વર મહાદેવના મંદિરે મુકવામાં આવ્યું હતું. આ શિવલિંગ માછીમારોને દરિયામાં ખંભાત નજીકથી મળ્યું હતું. મંગળવારે સાંજના સમયે કમલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાજતેગાજતે કાવી બંદર ખાતે લઇ જવામાં આવ્યું હતું. અહીં મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video