અમદાવાદમાં પ્રિ-સ્કૂલ સંચાલકોએ રિવર ફ્રન્ટ ખાતે ધરણા ધર્યા છે. સ્કૂલ સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવી રહ્યો હોવાને લઈ આખરે હવે ધરણાં ધર્યા છે. સંચાલકોએ કહ્યું હતુ કે, તેમને સમય આપવામાં આવે જેને લઈ સરકારના નિયમોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોના પાલન માટે આમ સમય આપવા માટેની માંગ કરી હતી.
અમદાવાદમાં જ 700 થી વધારે પ્રિ-સ્કૂલો બંધ થઈ ગઈ છે. સ્કુલ સિલીંગ અને ફાયર સેફ્ટીને લઈ આ સ્કૂલો બંધ થવા પામી છે. જેને લઈ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓને આની અસર થઈ છે.
Published On - 1:19 pm, Tue, 2 July 24