અજય ભાણવડીયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, જે જથ્થામાં નાના દાણા હોય એનો સારો ઉપયોગ થાય એ માટે અમે પ્રયાસ કરીને તેલ નિકાળવામાં આવતુ હતુ. તેલ નાના પાયે નિકાળવામા આવતુ હતુ. જેટલા જથ્થામાંથી બિયારણ નિકળતુ હતુ એટલા જથ્થાનું જ બીલ આપવામાં આવતુ હતુ.
ઓઇલ મીલના સંચાલકે ખુલાસો કર્યો હતો. કે સમયાંતરે બેથી ત્રણ ટન તેલ અજયભાઈ નિકાળાવતા હતા. તેમજ તે ખોળ અમે મજૂરી મુજબ લઇ લેતા હતા. હવે સરકારે તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાની વિગતો સુત્રોથી મળી છે. હવે તેલ નિકાળવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. હવે દોષીતો સામે પગલા ભરવામાં આવશે કે કેમ એ સવાલ થઇ રહ્યો છે.