વીડિયોમાં જોઈ શકાય છે કે, ચણાની દાળમાંથી મોટી સંખ્યામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનના સંચાલકને આ અંગે જૂની દાળનો જથ્થો પધરાવી દેવાને લઈ બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટના અંગે સ્થાનિક મામલતદારને ફરિયાદ કરવામાં આવતા તેઓએ નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરીપત્ર કર્યો હતો.
જોકે સવાલ એ છે કે, બાળકોના આરોગ્યને કેવી રીતે જોખમમાં મૂકી શકાય એમ આવા પૂરવઠાને ફાળવવામાં આવી શકે. જો ખાનગી હોટલ-રેસ્ટોરન્ટ સામે પગલા ભરવામાં આવતા હોય તો, આ વા કિસ્સામાં પણ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:54 pm, Wed, 10 July 24