સાબરકાંઠાઃ PM મોદીની જ્ઞાતિ અંગે નિવેદન કરવાને લઈ રાહુલ ગાંધીના પુતળા સળગાવાયા

|

Feb 10, 2024 | 9:12 AM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઇડરમાં શુક્રવારે મોડી સાંજે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બક્ષીપંચ હોવા અંગે કરેલ નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બક્ષીપંચ હોવાને લઈ રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતુ. જેને લઈ દેશભરમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે., આ દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મ સ્થળ નજીક આવેલા ઇડર અને હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ભાજપના સ્થાનિક બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોએ ઇડરમાં ત્રિરંગા સર્કલ અને હિંમતનગરમાં મહાવીરનગર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જ્યાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:11 am, Sat, 10 February 24

Next Video