રાજકોટ વીડિયો : ધોરાજીમાં મુરલી મનોહર મંદિર ખાતે ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર સેવાઓ બંધ કરી હોવાનો ભક્તોનો આક્ષેપ

|

Feb 06, 2024 | 5:02 PM

ધોરાજી પંથકમાં આવેલા મુરલી મનોહર મંદિરનો કબજો તંત્ર દ્વારા લઈ લેવાતા ભક્તોએ વિરોધ કર્યો છે. મંદિરમાં ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર બંધ કરાવ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે વિરોધ કર્યો છે.

રાજકોટના સુપેડીના મુરલી મનોહર મંદિર સામે કાર્યવાહી મુદ્દે ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. મંદિરનો કબજો તંત્ર દ્વારા લઈ લેવાતા ભક્તોએ વિરોધ કર્યો છે. મંદિરમાં ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર બંધ કરાવ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે વિરોધ કર્યો છે. મંદિર માટે બનાવામાં આવેલી તંત્રની કમિટી રદ કરવા ભક્તોએ માગ કરી છે. જૂની પ્રણાલી મુજબ સાધુ – સંતોની સમિતિ ચાલુ રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

તાલાલાના આ મંદિરમાં મહાકાય ઘંટ સ્થાપિત થશે

ગીરસોમનાથ જિલ્લાના “તાલાલા”માં આવેલ પૌરાણિક ધામ શ્રીબાઈ માતાજીના મંદિરમાં સ્થાપિત થવાનો છે. શ્રીબાઈ માતાજીએ વિશ્વભરના પ્રજાપતિ સમાજના “ઈષ્ટદેવી” મનાય છે, ત્યારે તેમના તાલાલા સ્થિત મંદિરનો રૂપિયા 10 હજાર કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાયો છે.ચાર હજાર કિલોનો ઘંટ આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video