ઇડરની સિવિલ હોસ્પિટલમાં ડો અંકિત પટેલે નર્સોને ધમકાવી હોવાને લઈ આક્ષેપો કર્યા છે. પાંચ નર્સે આ મામલે લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે, ડો અંકિત પટેલે તેમને અભદ્ર વર્તન કર્યુ હતુ અને જાહેરમાં જ અન્યની હાજરીમાં ગંદુ વર્તન કરતા મહિલા નર્સોએ ડોક્ટરના વ્યવહારને લઈ ફરિયાદ કરી છે.
ઓપરેશન થિયેટરને લઈ એનેસ્થેશિયા તબિબે તેમને અભદ્ર ઇશારાઓ કરીને ગંદુ વર્તન કર્યુ હતુ. તબિબે મહિલાઓ શરમજનક સ્થિતિમાં મુકાય એવી રીતે ઈશારાઓ કરવાને લઈ સિવિલમાં હોબાળો મચી ગયો હતો. હવે મામલે લેખિતમાં નર્સોએ લેખિત ફરિયાદ વિભાગીય નાયબ નિયામક ગાંધીનગરને કરી છે. તબીબ સામે તપાસ કરીને પગલા ભરવાની જેમાં માંગ કરી છે. આ અંગે ઇડર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ જાડાવાલાએ કહ્યુ હતુ કે, આ અંગે ફરિયાદ મળી છે. વિભાગને જાણ કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કરવામાં આવશે.
Published On - 8:18 pm, Tue, 6 February 24