મન શાંત કેમ નથી થતું? આ ફોર્મુલા આવશે કામ

02 Sep 2024

Pic credit - Freepik

આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે માણસ સતત વ્યસ્ત રહે છે, જેના કારણે તણાવ વધતો જાય છે અને પરેશાન રહે છે. 

આવો આજે એવી ટિપ્સ વિશે જાણીએ જેનાથી તમારા મનને શાંતિ મળે અને રિલેક્સ ફિલ થાય.

મેડિટેશનએ તમારી બિઝી રહેતી લાઈફમાં ઓક્સિજન સમાન છે. દિવસભરમાં તમારે 10 મિનિટ મેડિટેશન જરુર કરવું જોઈએ. જેનાથી મનને શાંતિ મળે છે. 

જીવનની ભાગદોડમાંથી પોતાના માટે જરુર સમય કાઢવો જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઈએ. આ ખૂબ જ જરુરી છે. 

પોતાના મનને શાંત રાખવા માટે થોડા રિલેક્સફુલ ગીતો સાંભળવા જોઈએ. આનાથી તમારો મુડ સારો રહેશે અને મન શાંત થશે. 

સ્ટ્રેસ અને નેગેટિવિટીથી દૂર રહેવા માટે કોઈ પોઝિટિવ પુસ્તક કે નવલકથા વાંચવી જોઈએ. પુસ્તકો વાંચવાથી તમારુ મગજ ભટકતું નથી. 

મનની શાંતિ માટે પોતાના લોકો સાથે સમય વિતાવવો ખૂબ જ જરુરી છે. તે લોકો સાથે વાત કરો જેનાથી તમે સારુ ફિલ કરતા હોય. ખુલીને વાતો શેર કરવાથી તણાવ ઓછો થાય છે.  

(Disclaimer : આ માહિતી તમારી જાગરુતા માટે લખવામાં આવી છે. આ લખવા માટે અમે ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે જ્યાં પણ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું કંઈ પણ વાંચો તો એક્સપર્ટની સલાહ જરુર લો.) 

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો