આદુનું પાણી કે મેથીનું પાણી, શું પેટની ચરબી ઓગાળવામાં વધુ ફાયદાકારક છે?

04 Sep 2024

(Credit Imege : getty image)

 પેટની હઠીલી ચરબીને દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સારા આહાર અને વર્કઆઉટની સાથે સવારની કેટલીક આદતો પણ આમાં મદદ કરી શકે છે.

પેટની ચરબી ઓગળવા માટે લોકો સવારે કેટલાક ડ્રિક્સ પણ પીવે છે, જે ચયાપચયને વેગ આપે છે અને પાચનમાં સુધારો કરી શકે છે.

આદુનું પાણી અને મેથીનું પાણી બંને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો રહેલા છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

હવે આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં હશે કે બેમાંથી ક્યું પાણી વધુ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ.

સવારે ઉઠીને સૌથી પહેલા આદુનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે કારણ કે તે ભૂખ ઘટાડે છે, કેલરી બર્ન કરે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

આદુનું પાણી

દરરોજ આદુનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

બ્લડપ્રેશર કંટ્રોલ

પેટની ચરબી ઘટાડવા માટે આદુનું પાણી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. અભ્યાસ દર્શાવે છે કે તેના રોજિંદા સેવનથી કેલરી બર્ન કરવાની અને પેટ ભરવાની ઈચ્છા જાગે છે.

કેલરી બર્ન

સાઉદી મેડિકલ જર્નલ અનુસાર, આદુના થર્મોજેનિક ગુણધર્મો પણ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

આદુના ગુણધર્મો

મેથીના દાણાનો ઉપયોગ પ્રાચીન ઔષધિ તરીકે કરવામાં આવે છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. મેથીમાં ગેલેક્ટોમેનન નામનું સંયોજન હોય છે જે ભૂખ ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે જે ચરબી બર્ન કરે છે.

મેટાબોલિઝમ વધે

યુરોપિયન જર્નલ ઑફ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલી સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, મેથીના બીજના અર્કના વારંવાર સેવનથી વજનવાળા લોકોમાં ચરબી ઓછી થાય છે.

મેથીના બીજ

 આદુનું પાણી અને મેથીનું પાણી બંને તેમના સંયોજનો અને ઉચ્ચ ફાઇબરને કારણે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બંને ભૂખ ઓછી કરે છે.

પેટની ચરબી

(Disclaimer : આ માહિતી તમારી જાગરુતા માટે લખવામાં આવી છે. આ લખવા માટે અમે ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે જ્યાં પણ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું કંઈ પણ વાંચો તો એક્સપર્ટની સલાહ જરુર લો.) 

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો