વારંવાર સુકાઈ જતા તુલસીને આ રીતે રાખો લીલોછમ ! જાણો ઉપાય
Pic credit - google
મોટાભાગના લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ ઘણીવાર પાણી અને ખાતર આપ્યા પછી પણ તુલસીનો છોડ ઝડપથી સુકાઈ જાય છે
Pic credit - google
તુલસીને આધ્યાત્મિક રીતે પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેનું સુકાઈ જવું એ અશુભ સંકેત છે.
Pic credit - google
પણ જો તે વારંવાર સુકાઈ જતો હોય તો તેને ફરીથી લીલોછમ રાખવા કેટલાક ઉપાય અજમાવી શકો છો
Pic credit - google
તુલસીના છોડને પાણી દિવસમાં માત્ર એક જ વાર આપો અને તે પણ જ્યારે વાસણમાંનું પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે, તેવી રીતે વધારે પાણી ના આપવું તેનાથી તુલસી સુકાઈ જાય છે
Pic credit - google
તુલસીના છોડમાં ગાયનું સૂકુ છાણ ઉમેરવાથી ફાયદાકારક છે. આથી તેનો પાઉડર બનાવી માટી સાથે ભેળવીને તુલસીના છોડમાં ઉમેરો
Pic credit - google
તુલસી વારંવાર સુકાઈ જતા હોય તો તેમાં લીમડાનું તેલ અથવા લીમડાનું પાણી ઉમેરવું પણ ખૂબ અસરકારક છે, તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે.
Pic credit - google
તુલસીના છોડને તડકામાં રાખવા પણ ખુબ જ જરુરી છે આથી તો શિયાળામાં 6થી 7 કલાક તો ઉનાળામાં 2 કલાક જેવું સૂર્યપ્રકાશ જરુર આપો
Pic credit - google
ભર ગરમીમાં તુલસીને તાપમાં મુકતા પહેલા સફેદ કાપડને પાણીમાં પલાડી તુલસીના છોડ પર વીટી શકો છો, જે બાદ તેને તાપમાં મુકવાથી તુલસી સુકાઈ નહીં જાય
Pic credit - google
તુલસીના સુકા પાંદડા તુલસીના છોડ પરથી અલગ કરતા રહો, આમ કરવાથી સુકા તુલસીના પાન આખા તુલસીના છોડને સુકવી નહીં દે