16.7.2025

Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

Image -Soical media 

છોડમાં લીંબુની છાલનો ઉપયોગ કરવાથી જંતુઓ દૂર રહે છે.

લીંબુ એ સાઈટ્રસ ફળોનું પાવરહાઉસ છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.

લીંબુની છાલનો રસ કાઢ્યા પછી ઘણીવાર તેને ફેંકી દેવામાં આવે છે.

પરંતુ આ ફેંકી દેવાયેલી છાલ તમારા છોડ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તેમાં કુદરતી એસિડ હોય છે જે મચ્છર અને અન્ય જંતુઓને દૂર રાખે છે.

આ માટે, લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને આ દ્રાવણનો છંટકાવ કરો જેથી  જીવાતોથી બચી શકાય.

આ ઉપરાંત, લીંબુની છાલમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

આને તમારા છોડના મૂળમાં મૂકો અથવા માટીમાં ભેળવીને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરો.