5.5.2025

Plant in pot : પક્ષીઓને પ્રિય છે આ છોડ, ઘરમાં ઉગાડવાથી ચાર ચાંદ લાગી જશે

Image -  Soical media 

મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડતા હોય છે. અમુક છોડ પક્ષીઓને સૌથી વધુ પ્રિય હોય છે.

વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ સાંભળવો દરેકને પસંદ હોય છે. પરંતુ પક્ષીઓ દરેક જગ્યાએ આવતા નથી.

આજે અમે તમને એવા છોડ વિશે જણાવીશું જે પક્ષીઓને આકર્ષવા માટે બગીચામાં કે બાલ્કનીમાં વાવી શકાય છે.

તમે ઘરે સૂર્યમુખીનો છોડ ઉગાડી શકો છો.

આ ઉપરાંત જાસૂદનો છોડ પણ તમે ઘરે ઉગાડી શકો છો.

પક્ષીઓને લવંડરનો છોડ પણ વધારે પસંદ હોય છે. તેનાથી પતંગિયાઓ વધુ આકર્ષાય છે.

જંતુઓ અને કરોળિયા બોગનવેલના છોડ તરફ આકર્ષાય છે, જેથી પક્ષીઓ તેને ખાવા આકર્ષાય છે.

તમે અન્ય ફૂલના છોડ પણ ઘરે ઉગાડી શકો છો. જેનાથી પક્ષીઓ આકર્ષે છે.