29.3.2025

Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ

Image -  Soical media 

એલોવેરા ત્વચા અને વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

જેથી મોટાભાગના લોકો આ છોડ ઘરે ઉગાડતા હોય છે.

પરંતુ કેટલીક વાર એલોવેરાનો છોડ સુકાઈ જાય છે. તો આ ટીપ્સ અપનાવવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે.

સૌ પ્રથમ એલોવેરાના છોડના તળિયે જૂના અને સૂકા પાંદડા હોય તો તેને કાપીને દૂર કરો.

ત્યારબાદ છોડની આસપાસના કુંડામાં માટી ખોદી કાઢો.

જમીનમાં ભેજ જાળવવા માટે એલોવેરાના છોડને પાણી આપો. વાસણમાં પાણી સ્થિર ન થવું જોઈએ.

એલોવેરાને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં પ્રકાશ હોય પરંતુ સીધો સૂર્યપ્રકાશ ન આવે.

એલોવેરાના છોડમાં પાણી નાખતા ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.