29.6.2025

શુક્લા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -Soical media 

ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વરસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે.

મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

શુક્લા અટક ભારતમાં જાણીતી છે. સામાન્ય રીતે શુકલા અટક બ્રાહ્મણમાં જોવા મળતી અટક છે.

જે મુખ્યત્વે ઉત્તર ભારતીય રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ , બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં જોવા મળે છે.

શુક્લા શબ્દ મૂળ સંસ્કૃત છે. જેનો અર્થ સફેદ, શુદ્ધ, પવિત્ર, તેજસ્વી થાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને સકારાત્મકતા, શુદ્ધતા અને શુભતા માટે થાય છે.

શુક્લ અટક પ્રાચીન વૈદિક કાળની છે. આ અટક યજુર્વેદની પરંપરાના બ્રાહ્મણોએ અપનાવી હતી. વેદોની એક શાખા યજુર્વેદ છે, જે ધાર્મિક વિધિઓ અને યજ્ઞોના નિયમોનું વર્ણન કરે છે.

આ વેદ વાંચનારા અથવા શીખવનારા બ્રાહ્મણોએ "શુક્લ" અટક ધારણ કરી હતી. ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓ જેમ કે પ્રયાગરાજ, લખનૌ, ગોરખપુર, કાનપુર વગેરેમાં શુક્લ બ્રાહ્મણોની મોટી વસ્તી જોવા મળે છે.

( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)