14.6.2025

ભટ્ટ અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

Image -  Social Media

ભટ્ટ અટક ભારતમાં પ્રખ્યાત છે. ભારતના વિવિધ ભાગોમાં ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયમાં અટક જોવા મળે છે.

આ અટક સંસ્કૃત શબ્દ ભટ્ટ પરથી ઉતરી આવ્યો છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. તે ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શિક્ષણ સાથે ઊંડો જોડાયેલો છે.

સંસ્કૃત મૂળ શબ્દ ભટ્ટ એક આદરણીય શબ્દ છે, જેનો અર્થ થાય છે વિદ્વાન માણસ, પંડિત, જ્ઞાની બ્રાહ્મણ, ધાર્મિક ગ્રંથોના વિદ્વાન, શાસ્ત્રોના વિદ્વાન થાય છે.

વેદ અને શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણોને ભટ્ટ કહેવામાં આવતા હોય છે. તેઓ ઘણીવાર સંસ્કૃત ભાષા, ધર્મ, તત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ જેવા વિષયોમાં નિષ્ણાત હતા.

ઘણા પ્રખ્યાત લેખકો અને કાયદાશાસ્ત્રીઓએ ભટ્ટ અટક રાખી હતી. ભટ્ટ અટક ઘણા વિદ્વાનો, કવિઓ અને ગણિતશાસ્ત્રીઓના રાજદરબાર સાથે સંકળાયેલી છે.

આ લોકોએ શિક્ષણ પ્રણાલી, ધર્મશાસ્ત્ર અને સામાજિક વ્યવસ્થા જાળવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.

કાશ્મીરી પંડિતોમાં ભટ્ટ એક સામાન્ય અટક છે. કાશ્મીરના વિદ્વાનોને 'ભટ્ટ' કહીને માન આપવામાં આવતું હતું.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)