30.1.2025

જાણો ક્યાં વારે ક્યાં રંગના કપડાં પહેરવા જોઈએ, કેમ ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ ?

Image - Freepik  

વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના દરેક દિવસ માટે એક ખાસ રંગ દર્શાવવામાં આવ્યો છે.

સોમવારનો દિવસ મહાદેવ સાથે જોડાયેલો હોવાથી તમે આ દિવસે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.

મંગળવારના દિવસે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.

જ્યારે બુધવાર ભગવાન ગણેશજી સાથે જોડાયેલા છે. તેથી બુધવારે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.

ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવામાં આવે છે. જે જ્ઞાન, શિક્ષાના દેવતા માનવામાં આવે છે. તેથી ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવાથી લાભ થાય છે.

શુક્રવારનો દિવસ લક્ષ્મી માતા સાથે જોડાયેલો છે. તેથી આ દિવસે તમે ગુલાબી કે સફેદ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.

શનિવારના દિવસે કાળા રંગના કપડાં પહેરવાથી લાભ થાય છે.

રવિવારનો દિવસ સૂર્ય દેવતા સાથે જોડાયેલો હોવાથી આ દિવસે ઓરેન્જ કલરના કપડાં પહેરવા જોઈએ.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)