18 April 2025

આ તે વળી કેવું? છાશની અંદર ગોળ નાખવાથી શરીરને થાય આટલા ફાયદા

છાશ અને ગોળનું મિશ્રણ

તમને જાણીને નવાઈ લાગશે કે, છાશ અને ગોળનું મિશ્રણ કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે.

શરીર માટે કેટલું ગુણકારી 

છાશ અને ગોળનું મિશ્રણ ગરમીમાં કરવું હિતાવહ છે. તો ચાલો જાણીએ કે, છાશ અને ગોળનું મિશ્રણ આપણા શરીર માટે કેટલું ગુણકારી છે?

શરીરને વિટામિન મળી આવે

છાશની અંદર ગોળ નાખીને પીવાથી શરીરને વિટામિન બી-12, બી-2, વિટામિન-સી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, ગ્લુકોઝ અને એન્ટિઓક્સિડન્ટ્સ મળી આવે છે.

શરીરમાં એનર્જિ બની રહે

ગરમીમાં થાક વધુ લાગતો હોય તો છાશ અને ગોળના મિશ્રણનો ઉપયોગ કરવો. આનાથી શરીરમાં એનર્જી બની રહે છે અને થાક નથી લાગતો. 

ટોક્સિક પદાર્થને બહાર કાઢે 

ગોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને છાશ આંતરડાની સફાઇ કરવામાં મદદરૂપ બને છે. આ બંનેનું મિશ્રણ શરીરમાં રહેલ ટોક્સિક પદાર્થને બહાર કાઢે છે. આનાથી ત્વચા ચોખી રહે છે અને ચમકી ઉઠે છે.

પેટને રાહત મળે

જમ્યા બાદ છાશની અંદર ગોળ ભેળવીને પીવાથી પેટને રાહત મળે છે. ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

ચક્કર જેવી સમસ્યાથી બચાવે 

છાશ અને ગોળનું મિશ્રણ આપણને ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે તેમજ માથાના દુખાવો અને ચક્કર જેવી સમસ્યાથી બચાવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

चार साल पहले हेडिंग्ले टेस्ट में बेन स्टोक्स ने इंग्लैंड को जीत दिलाकर एशेज में वापसी कराई थी. इस बार स्टोक्स की कप्तानी में हेडिंग्ले में ही इंग्लैंड ने ऑस्ट्रेलिया के खिलाफ वापसी की.

આ પણ વાંચો

આ પણ વાંચો