શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ

16 Oct, 2024

શરીરના સ્વાસ્થ્ય માટે લોકો આદુનો ઉપયોગ અનેક રીતે કરતાં હશે.

એક જ આદુના ગાંઠિયા થી  શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.

તમારા બાળકને ખાસ કરીને જો ઉધરસ કે શરદી હોય તો તેને મટાડવા માટે પણ આદુનો ઉપયોગ કરી શકાય.

શરદી કે ઉધરસ મટાડવા એક આદુનો ટુકડો લઈ તેને ચારે તરફ હળદર લગાવી દેવાની છે.

આ બાદ આદુના કટકાને આગમાં શેકવાનો છે.

ગેસ કે ચૂલા પર શેકવા બાદ તે બહારથી વધુ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ચારે તરફ બરાબર શેકાઈ ગયા બાદ બળેલો ભાગ હાથથી ખેરવી નાખો.

આ બાદ તેના પર ફરીથી હળદર ચારે તરફ લગાવો અને બે કટકા કરવા.

આ બાદ બાળકના મોઢામાં જેમ ચોકલેટ ચગળવા આપો તે રીતે આપો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.