12.6.2025

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ

Image -  Freepik

રજનીગંધાના ફૂલ ખૂબ જ સુગંધીત હોય છે. આ છોડને ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. તો ઘરે કેવી રીતે સરળતાથી રજનીગંધાનો છોડ ઉગાડી શકાય તે જોઈશું.

ઘરે કૂંડામાં રજનીગંધાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મધ્યમ કદનું કૂંડુ લો. તેમાં છિદ્ર હોવુ ખૂબ જ જરુરી છે.

કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને રેતીને મિક્સ કરીને ભરો.

ત્યારબાદ માટીમાં છાણિયુ ખાતર નાખી બરાબર મિક્સ કરીને માટીને ભીની કરો.

હવે 3-4 ઈંચ ઉંડાઈએ રજનીગંધાનો છોડ રોપી તેના પર માટી નાખીને પાણી નાખો.

રજનીગંધાનો છોડને એવી જગ્યાએ રાખો. જ્યાં છોડને 4 થી 5 કલાક સૂર્ય પ્રકાશ મળે.

આ ઉપરાંત છોડને અઠવાડિયામાં 3 વખત પાણી આપો. તેમજ છોડમાં પોટેશિયમ યુક્ત ખાતરને મહિનામાં એક વખત નાખો.

રજનીગંધાના છોડ પર આશરે 4 મહિના પછી ફૂલ ઉગવા લાગશે. તેમજ ઘરના વાતાવરણને સુગંધિત કરશે.