17.6.2025

Plant In Pot : નવા છોડને કુંડામાં ઉગાડવાની સરળ ટીપ્સ અપનાવો

Image -  Social Media

આપણે બધાને ખબર છે કે નર્સરીમાં બધા છોડ એકદમ સુંદર અને લીલા રહે છે.

પરંતુ જ્યારે આ જ છોડ નર્સરીમાંથી ઘરના કુંડામાં ઉગાડીએ છીએ, ત્યારે તે 4-5 દિવસમાં સુકાઈ જાય છે અથવા સડી જાય છે.

આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના લોકો આ છોડ ઉગાડતા સમયે ભૂલ કરે છે.

છોડને નર્સરીમાંથી ઘરે લાવતાની સાથે જ તેનો કૂંડુ બદલશો નહીં.

જ્યારે તમે નવો છોડ લાવો છો, ત્યારે તેને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે આ રીતે રહેવા દો.

કુંડામાં વાવતી વખતે, માટી ભેજવાળી રહે તે પ્રમાણે જ પાણી ઉમેરો.

નવો છોડ ખરીદતી વખતે, તેને કાળજીપૂર્વક તપાસો; જો પાંદડામાં કાણા કે પીળાશ હોય, તો તેને ખરીદશો નહીં.

આ ઉપરાંત, જ્યારે તમે છોડ ખરીદો છો, ત્યારે તરત જ ખાતર નાખશો નહીં, તેનું કુંડૂ બદલતી વખતે થોડું ખાતર નાખો. આ કિસ્સામાં છોડ સ્વસ્થ રહેશે.