કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ?

25 Oct, 2024

શિંગોડા એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. તે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી છે.

શિંગોડા ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર અને અન્ય ઘણી ગંભીર બીમારીઓમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે અલબત્ત શિંગોડા  ખાવું ફાયદાકારક છે પરંતુ સ્વાસ્થ્યની કેટલીક પરિસ્થિતિઓમાં તેને ખાવાનું ટાળવું જોઈએ.

જો કોઈ વ્યક્તિને શિંગોડાથી એલર્જી હોય, તો તેણે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. એલર્જીને કારણે સતત છીંક આવવા અથવા સોજો આવી શકે છે.

શિંગોડા  વધુ ખાવા નુકસાનકારક છે. તેનાથી પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને ગેસ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જો કોઈને શરદી હોય તો શિંગોડા ખાવાનું ટાળો. છાતીમાં લાળ જમા થતી હોય તો પણ આ ન ખાવું.

દિવસમાં 7 થી 8 શિંગોડા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી.