29.8.2025
જાણો અગ્નિહોત્રી અટકનો અર્થ અને ઈતિહાસ
Image - Social Media
અગ્નિહોત્રી અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. અગ્નિહોત્રી શબ્દ સંસ્કૃત અગ્નિહોત્ર પરથી આવ્યો છે.
જેમાં અગ્નિ શબ્દનો અર્થ ઊર્જા, તેજ, દિવ્યતાનું પ્રતીક થાય છે. જ્યારે હોત્રી શબ્દ બલિદાન આપનાર, યજ્ઞ કરનાર પૂજારી થાય છે.
અગ્નિહોત્રી શબ્દનો અર્થ અગ્નિહોત્ર યજ્ઞ કરનાર વ્યક્તિ થાય છે. વૈદિક કાળમાં, દરરોજ અગ્નિહોત્ર યજ્ઞ કરનારા બ્રાહ્મણોને અગ્નિહોત્રી કહેવામાં આવતા હતા.
અગ્નિહોત્રી શબ્દને પાછળથી અટક તરીકે અપનાવવામાં આવ્યું છે. મુખ્યત્વે આ અટક બ્રાહ્મણ સમુદાયમાં જોવા મળે છે.
મોટાભાગના આ અટકના લોકો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને હિમાચલના ભાગોમાં જોવા મળે છે.
પરંપરાગત રીતે, અગ્નિહોત્રી પરિવારોને યજ્ઞ, પૂજા-પાઠ, સંસ્કાર, જ્યોતિષ અને વૈદિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવતા હતા.
આધુનિક સમયમાં, ઘણા અગ્નિહોત્રી પરિવારોએ શિક્ષણ, સાહિત્ય, રાજકારણ, કલા અને ફિલ્મ જગતમાં પણ ખ્યાતિ મેળવી છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો