25.10.2024

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર

Image - Freepik

નારંગીની છાલમાં વિટામીન - C હોવાના કારણે ત્વચા માટે લાભકારક છે.

નારંગીની છાલ ફેકી દેવાની જગ્યાએ તેનો અલગ અલગ રીતે ફેસપેક બનાવી શકાય છે.

નારંગીના છાલના પાવડરમાં પાણી અથવા ગુલાબજળ ઉમેરી ચહેરા પર લગાવી શકાય છે.

તેમજ આ પાવડરમાં મધ અને ગુલાબજળ ઉમેરી બરાબર મિક્સ કરીને પણ ચહેરા અને ગરદન પર લગાવી શકાય છે.

નારંગીની છાલના પાવડરમાં એલોવેરા મિક્સ કરીને પણ ફેસ પેક બનાવી શકો છો.

નારંગીની છાલમાં દહીં ઉમેરીને પણ ફેસપેક બનાવી શકો છો.

આ તમામ પ્રકારના ફેસપેકનો ચહેરા પર લગાવો ત્યારે 15 મીનીટ પછી ફેસપેકને સાફ કરવું

આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. TV9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી.