01 jun, 2024

કયા વિટામિનની ઉણપથી પગમાં બળતરા થાય છે?

વિટામિન્સ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં તેમની ઉણપને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લેખમાં જાણો એ વિટામિન્સ વિશે જેની ઉણપથી પગમાં બળતરા થાય છે

શરીરમાં વિટામિન B12ની ઉણપને કારણે પગમાં બળતરા થવા લાગે છે. આ સિવાય વિટામિન બીની ઉણપથી એનિમિયા, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે

શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવા માટે ઈંડા ખાઈ શકાય છે. ઇંડા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે

શરીરમાં વિટામિન B-12 ની ઉણપને પૂરી કરવા માટે દહીં ખાઓ. દહીંમાં રહેલા પોષક તત્વો વિટામિન બી-1 અને વિટામિન બી-2ની ઉણપને પણ પૂર્ણ કરે છે

ઓટ્સ શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે

પનીરને વિટામિન B12નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ જોવા મળે છે, જે તણાવ દૂર કરવામાં મદદ કરે છે

શરીરમાં વિટામિન B-12 ની ઉણપને પૂરી કરવા માટે દૂધ પીવો. દૂધ એનિમિયા, થાક અને વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે

બ્રોકોલીને વિટામિન B-12નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમજ બ્રોકોલી એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે

શરીરમાં વિટામિન B-12 ની ઉણપને બળતરા સિવાય, થાક લાગવો, હાથ પગમાં ઝણઝણાટી, યાદશક્તિ નબળી પડવા જેવી સમસ્યા થઇ શકે છે