ઘરની બહાર કેમ લટકાવવામાં આવે છે લીંબુ-મરચા? જાણો કારણ
Pic credit - google
તમે ઘણીવાર ઘરો કે દુકાનની બહાર લીંબુ અને મરચાં લટકાવેલા જોયા હશે.
Pic credit - google
મોટાભાગના લોકો આમ કરતા હોય છે. ત્યારે લીંબુ-મરચા કેમ લગાવવામાં આવે છે, શું છે તેની પાછળનું કારણ ચાલો જાણીએ
Pic credit - google
જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ લીંબુ-મરચા ઘરને ખરાબ નજરથી બચાવે છે. તેમજ કોઈ બ્લેક મેજીકની તમારા ઘર કે દુકાન પર નકારાત્મક અસર થતી નથી.
Pic credit - google
કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા માને છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તેની પાછળ અનેક કારણો છે.
Pic credit - google
લીંબુનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે. એવું કહેવાય છે કે લીંબુ ખાટા હોય છે અને મરચા તીખા હોય છે, આ બંને ગુણો વ્યક્તિની એકાગ્રતા અને ધ્યાન ભંગ કરવામાં ખૂબ અસરકારક છે.
Pic credit - google
એવું માનવામાં આવે છે કે જો લીંબુ અને મરચા ઘર કે દુકાનની બહાર લટકાવવામાં આવે તો ખરાબ નજરથી જોનાર વ્યક્તિની એકાગ્રતા તૂટી જાય છે.
Pic credit - google
વૈજ્ઞાનિક કારણ મુજબ લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણધર્મો હોય છે અને તેને દરવાજા પર મચ્છર-માખી જેવા જંતુ દૂર રહે છે અને વાતાવરણ સ્વચ્છ રહે છે.
Pic credit - google
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘર અને દુકાનની બહાર લીંબુ અને મરચા લટકાવવાને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ નવું ઘર કે દુકાન ખરીદે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષ ઉપાયોને આધારે છે , Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી