PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન

17  April, 2024

આજે એટલે કે 17મી એપ્રિલે રામ નવમીના શુભ અવસર પર અયોધ્યામાં પૂજનીય રામલલાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં સૂર્યના કિરણોથી તેમનું તિલક કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી માટે જનસભાને સંબોધવા માટે આસામના નલબારી પહોંચ્યા હતા.

રેલીમાંથી સમય કાઢતા જ પીએમ હેલિકોપ્ટરમાં બેઠા અને રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા અને આ ક્ષણને આનંદની ક્ષણ ગણાવી.

PMએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અયોધ્યાના રામલલ્લાના સૂર્ય તિલકના દર્શનની તસવીરો પોસ્ટ કરી છે.

રામલલ્લાના દર્શન કરતી વખતે PM એ હેલિકોપ્ટરમાં તેમના ચપ્પલ પણ ઉતાર્યા હતા.

તેમણે એમ પણ લખ્યું છે કે નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો.

તેમણે આગળ લખ્યું કે આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.

રામલલ્લાના સૂર્ય અભિષેક દરમિયાન લગભગ 4 થી 6 મિનિટ સુધી રામલલાની મૂર્તિના લલાટ પર પર સૂર્ય તિલક થયું હતું.

All Photos - PTI