કાવ્યા મારન અને શાહરૂખ ખાનની એક જેવી પસંદ

02 Aug 2024

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અવારનવાર સમાચારોમાં રહે છે.

તેના સમાચારોમાં રહેવા પાછળનું એક કારણ આઈપીએલ છે, જેમાં શાહરૂખ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક પણ છે.

જો કે આ બંને અલગ-અલગ પ્રોફેશન સાથે જોડાયેલા છે, પરંતુ એક બાબતમાં બંનેની પસંદગી એકસરખી જ છે અને તે માત્ર આઈપીએલ સાથે જોડાયેલી છે.

હવે પ્રશ્ન એ છે કે બંનેમાં શું સામ્ય છે? આ વાત પણ હવે બધાની સામે આવી ગઈ છે અને બીસીસીઆઈની મીટિંગમાં પણ આવું થયું છે.

31 જુલાઈના રોજ, BCCIએ આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે નવી સિઝનને લઈને બેઠક યોજી હતી, જેમાં શાહરુખે મેગા ઓક્શનને સમાપ્ત કરવાની માંગ કરી હતી.

પોતાની પસંદગી દર્શાવતા કાવ્યાએ પણ શાહરૂખની આ માંગને સમર્થન આપ્યું હતું અને તેને યોગ્ય ઠેરવ્યું હતું.

આટલું જ નહીં, જો મેગા ઓક્શન ચાલુ રહેશે તો શાહરૂખ અને કાવ્યાએ 4ને બદલે વધુ ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ બનાવવાની પણ માગણી કરી હતી.