15 June 2025

કોઈ વ્યક્તિનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા

Pic credit - google

જીવન અને મૃત્યુ બંને આ દુનિયાના અનિવાર્ય પાસાં છે. દરેક વ્યક્તિએ એક યા બીજા દિવસે મૃત્યુનો સામનો કરવો પડે છે, પછી ભલે તે ગમે તે તબક્કામાં હોય.

Pic credit - google

પરંતુ, જ્યારે કોઈનું જીવન અચાનક, અણધારી રીતે સમાપ્ત થાય છે, ત્યારે તેને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે.

Pic credit - google

તેનો અર્થ એ છે કે સમયથી પહેલા મૃત્યુ થવુ, જે સામાન્ય પરિસ્થિતિઓમાં થવું જોઈતુ ન હતુ.

Pic credit - google

જો કોઈ વ્યક્તિ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તો તેને અકાળ મૃત્યુ કહેવાય છે તેમજ હત્યા, આત્મહત્યા અથવા બીમારી જેવા અકુદરતી કારણોસર મૃત્યુને પણ અકાળ મૃત્યુ માનવામાં આવે છે.

Pic credit - google

ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિનું આવું મૃત્યુ વ્યક્તિના કર્મ અનુસાર થતુ નથી.

Pic credit - google

તેમજ ગરુડ પુરાણ અનુસાર, કુદરતી રીતે મૃત્યુ પામેલા લોકોને ઓછામાં ઓછા 13 થી 45 દિવસમાં બીજો જન્મ મળે છે. 

Pic credit - google

પણ આત્મ હત્યા કે હત્યા થઈ હોય તે વ્યક્તિની આત્મા ભટકતી રહે છે.

Pic credit - google

ગરુડ પુરાણ અનુસાર, અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિના સંબંધીઓએ નદી અથવા તળાવ કાંઠે તેમનું તર્પણ કરવું જોઈએ. તેમજ પિંડદાન અને દાન જેવા સારા કાર્યો કરવા જોઈએ

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી શાસ્ત્રો અને ગરુડ પુરાણના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરશે

Pic credit - google