30.3.2024

બિલીપત્રના પાન રાખશે સ્વાસ્થ્ય ! અનેક બિમારીઓને રાખશે દૂર

Pic - Freepik

બિલીપત્રનું પાન ભગવાન શિવને ચઢાવાય  છે.પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.

રોજ સવાર નિયમિત બિલીનું પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે.

બિલીપત્ર  હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરનું જોખમ પણ ઓછું થાય છે.

પાઈલ્સથી પીડિત લોકો માટે ખાલી પેટે બિલીપત્ર ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઉનાળાની ઋતુમાં સવારે બિલીપત્રનું સેવન કરવાથી કાળઝાળ ગરમીથી બચાવે છે.

રોજ ખાલી પેટે બિલીપત્ર ખાવાથી શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે.

પેટ સંબંધિત સમસ્યાથી પિડીત હોય તે લોકોને પણ સવારે બિલીપત્ર ખાવાથી પેટ સંબંધિત દૂર થાય છે. 

બિલીપત્રની તાસિર ઠંડી હોવાથી મોઢામાં ચાંદાની સમસ્યાને પણ દૂર કરે છે.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.