મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ન ગયો અનંત રાધિકાના લગ્નમાં, સામે આવ્યું કારણ

12 July, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના Jio સેન્ટરમાં થયા, જેમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

આ લગ્નમાં ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશને પણ હાજરી આપી હતી.

રોહિત શર્મા અંબાણી પરિવારની ખૂબ નજીક છે પરંતુ તે આ લગ્નમાં જોવા મળ્યો નહોતો.

રોહિત અનંત અંબાણીના લગ્નમાં આવ્યો ન હતો કારણ કે તે વિમ્બલ્ડન મેચ જોવા માટે લંડન પહોંચ્યો હતો.

વિમ્બલ્ડને રોહિત શર્માનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂટ પહેરીને મેચની મજા માણી રહ્યો છે.

સચિન તેંડુલકર, MS ધોની, બેન સ્ટોક્સ, જો રૂટ જેવા દિગ્ગજ ખેલાડીઓને વિમ્બલ્ડન જોવા માટે આમંત્રણ મળ્યું છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત હવે આરામ કરી રહ્યો છે. ઝિમ્બાબ્વે બાદ તેને શ્રીલંકા પ્રવાસ પર પણ આરામ આપવામાં આવી શકે છે.